કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવે છે. જ્યાં તેમની રહેવા-જમવા-સારવાર સહિતની તમામ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે.
વાવાઝોડાની આગાહી થતાં જ સમગ્ર કચ્છમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા નિરાધાર રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને સલામત સ્થળે આશ્રમ સ્થળે આશ્રય આપવામાં આવ્યું હતું.
હાલમાં ૪૦ મહિલા-પુરૂષો આશ્રમ સ્થળે રહી સારવાર લઇ રહ્યા છે. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેમના ઘર શોધવાની કાર્યવાહી કરે છે. અત્યાર સુધી સંસ્થાએ ૧૪૦૦ જેટલા માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમનું રાજ્ય-ગામ અને પરિવાર શોધી આપ્યા છે. જેના કારણે તેમનું પાંચ-દશ-પંદર-વીસ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થયું છે.
સંસ્થાના પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી સહિત સર્વે કાર્યકરોની ટીમ સમગ્ર વ્યવસ્થાઓ સંભાળી રહેલ છે.