પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારણપરનાં દાતા શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાનાં સહયોગથી પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરવા પ્રયત્નો કરાયા હતા.

પ્રારંભે પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાં શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રીઓની ભાવનાંઓને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અત્યાર સુધીમાં ૨૯૩ વિધવા અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓને સંસ્થાએ સિવણ મશીનો અર્પણ કરી તેમને પગભર કરી પોતાનો જીવન નિર્વાહ બરોબર ચલાવી શકે તેવા સફળ પ્રયત્નો કર્યા છે. આ પ્રસંગે દાતા પરિવારનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.

સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કરે પ્રસંગે મહત્વ સમજાવ્યું હતું. પાંચ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાતાં તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુલાલ જાશીએ જયારે આભાર દર્શન સુરેશભાઇ માહેશ્વરીએ કરેલ. વ્યવસ્થામાં દિપેશ શાહ, આનંદ રાયસોની, પ્રતાપ ઠક્કર, દિપેશ ભાટિયા, જેરામ સુતાર, મુળજીભાઇ ઠક્કર, ગુલામ મોતા, કનૈયાલાલ અબોટીએ સહકાર આપ્યો હતો.

આ પ્રસંગે કે.એન. ચાકી, ઝહીર સમેજા, પ્રવિણ ભદ્રા, વાલજી કોલી, હરસુખગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.