વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નવા વર્ષના પ્રારંભે છ વિધવા બહેનોને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા હતા. કાર્યક્રમનું અતિથિ પદ ડો. પ્રતિક્ષાબેન પવાર, મીનાબેન ભદ્રા, ઇલાબેન વૈષ્ણવે શોભાવ્યું હતું.

સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૪, શ્રીમતિ રશ્મીબેન અનીલભાઈ મહેતા- વર્ધમાનનગર દ્વારા -૧ તથા શ્રીમતિ નિર્મલાબેન પદમશી લખમશી લાલકા-આદિપુર દ્વારા-૧ સિવણ મશીન માટે અનુદાન મળેલ.

પ્રારંભે સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઈ માહેશ્વરીએ સૌને મીઠડો આવકાર આપ્યો હતો. શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું. સિવણ મશીન અર્પણ થતાં વિધવા મહિલાઓએ ખૂબ જ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હવે અમે ઘેર બેસી સિવણ મશીન ચલાવી પગભર બનશું. આ પ્રસંગે ૮૧ માં વર્ષમાં પ્રવેશતા સંસ્થાનાં ઉપપ્રમુખ રમેશભાઈ માહેશ્વરીનું માનવજ્યોત પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ.અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ૫૪૭ વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરી પગભર કરાયા છે.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થા આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રાએ સંભાળી હતી.