પેન્શનર નિવૃત્તિ બચતમાંથી માનસિક દિવ્યાંગોની સેવા

અંજારનાં ૮૫ વર્ષીય રણછોડભાઈ હીરજી વરૂએ પોતાનાં પેન્શનર નિવૃત્તિ બચતમાંથી દર મહિને માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા તથા માનવસેવા-જીવદયા કાર્યો માટે નુદાન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ થઈ છેલ્લા કેટલાક વર્ષોથી માનવજ્યોત સંસ્થા ભુજને આ વડીલ દ્વારા અનુદાન અપાય છે. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો.