શ્રેષ્ઠીવર્ય, અને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ચૌદમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ અર્પણ કરી હતી.
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માટે તેઓશ્રીએ માનવજ્યોત સંસ્થા ભુજને અઢી એકર જમીનની ભેટ અર્પણ કરી હતી. જ્યાં આજે મસ્તરામોનું શ્રી રામદેવ સેવાશ્રમ નિર્માણ પામ્યું છે. અને માનવસેવાનું અતિ સુંદર કાર્ય થઇ રહ્યું છે. આ સ્થળેથી અત્યાર સુધીમાં ૧૪૬૭ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોચ્યા છે. તેમની પુણ્યતિથિએ તેમનાં પરિવારજનો અરૂણાબેન અને નિશાંતભાઇ ઠક્કરનાં સહયોગથી આશ્રમનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.