શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા કચ્છી દશા ઓશવાળ જૈન સમાજનો ૩૧ મો સમુહલગ્નોત્સવ તા. ૧૬ શનીવારે અબડાસા તાલુકાનાં સાંધવ ગામે યોજાશે. સમુહલગ્નોત્સવનાં દાતાશ્રીનો લાભ માતુશ્રી જેઠીબાઇ કેશવજી ધરમશીં સુથરી-લોકાપુર હસ્તે અ.સૌ. કલ્પનાબેન તેજકુમાર ધરમશી પરિવારે લીધેલ છે. બપોરે ૧-૩૦ કલાકે યોજાનાર સત્કાર અને અભિવાદન સમારોહનું અતિથિવિશેષ પદ અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા અબડાસા તાલુકા પંચાયતનાં પ્રમુખ મહાવીરસિંહ જાડેજા શોભાવશે. કે.ડી.ઓ. જૈન સમાજ તથા આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેવું ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ગોવિંદજી પટેલ અને પ્રવિણ લોડાયાએ એક યાદીમાં જણાવ્યું છે.