૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. 

માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે પ00 શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઈનાં વિતરણ કરવામાં આવશે. 

ભુજવાસીઓ દ્વારા માનવજ્યોત સંસ્થાને પુષ્કળ પ્રમાણમાં જુના વસ્ત્રો લોકોએ આપ્યા છે. જેથી ભુજની ચારે દિશાઓમાં આ વસ્ત્રોનું વિતરણ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે જઈ ચાલી રહ્યું છે. મજુર-ગરીબ અને શ્રમજીવી વર્ગ દિપાલીપર્વ ખુશી અને આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. અનેક પરિવારો જુના કપડા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડી રહ્યા છે. જે જરૂરતમંદો સુધી પહોંચાડાય છે. 

વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી આ વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યમાં સહયોગ આપવા ઈચ્છતા દાતાશ્રીઓએ માનવજ્યોત કાર્યાલય ભુજ મો. ૯૯૧૩૦૨૯૮૦૦, ૯૮૨૪૬૯૧૧૧૪ અથવા ૨૨૪૦૦૦નો સંપર્ક કરવા જણાવાયું છે.