સંસ્કાર એવોર્ડ અર્પણ કરાયો

સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ, સંસ્કાર સ્કુલ ભુજ દ્વારા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને “સંસ્કાર એવોર્ડ” અર્પણ કરાયો હતો. સંસ્કાર સ્કુલમાં યોજાયેલ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સ્કુલનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભુજ અને સમગ્ર કચ્છમાં માનવજ્યોતની જ્યોત પ્રગટાવનાર પ્રબોધ મુનવરની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની નોંધ લઇ કચ્છ મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં વરદ્‌ હસ્તે સન્માન કરી તેઓની સેવાઓને બિરદાવવામાં આવેલ. શ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રબોધ મુનવર એટલે કચ્છ સમાજની સરકાર છે. જેમણે અનેક વિધ પ્રવૃત્તિઓ કચ્છનાં ખૂણે ખૂણે પહોંચાડી જરૂરતમંદ લોકો વચ્ચે સેવાઓને પહોંચાડી છે. અનેક લોકોને મદદરૂપ બન્યા છે. સ્કુલનાં ડાયરેકટર શ્રી કિરીટભાઇ કારીયા, આચાર્ય જગદીશભાઇ તથા સ્ટાફ સર્વે, વાલીગણ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ પ્રસંગે લોકસેવા ટ્રસ્ટનાં હેમેન્દ્ર જણસારી, ભાનુબેન પટેલ તથા મહિલા પોલીસનાં રાજલક્ષ્મીબેનનું પણ સન્માન કરવામાં આવેલ.