રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે.

મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર-કચ્છનાં બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા.

જયાબેન મુનવર, હેતલ મોમાયા, અમીતા જૈન, લીલાવંતીબેન છેડા, ડીમ્પલ ધરમશી, માલતી ડાઘા, દક્ષા છેડા, ખમાબેન લોડાયા, સહિતનાં બહેનોએ શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો હતો.

વિધિવિધાન દીપક મારાજ નારાયણસરોવરવાલાએ કરાવી હતી. શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.

વર્ધમાનનગર મહાકાળી મહિલા મંડળનાં બહેનોએ શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.