સંસ્કાર નગર મધ્યે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી બાપા સીતારામ મઢુલી સંસ્કાર નગર મધ્યેના પ્રાંગણમાં બિલીપત્ર, ફુલ વિ. છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી અર્જુનસિંહજી જાડેજાએ શોભાવ્યું હતું.

શ્રી અરવિંદભાઇ ગઢવીએ સૌનું સ્વાગત કર્યું હતું.

શ્રી અર્જુનસિંહ જાડેજા, અરૂણભાઇ જાષી, દેવદત ગઢવી, કુમારસિંહ પઢિયાર, શંભુભાઇ જાષીના શુભ હસ્તે બિલીપત્ર અને ફુલના વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્ય થયું હતું.

શ્રી અર્જુનભાઇ માહેશ્વરી, જયેન્દ્ર શામળ, રાજુભાઇ અને સોનુભાઇએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.

બાપા સીતારામની જય ના ઘોષ સાથે બિલીપત્ર અને ફુલોના છોડનું વૃક્ષારોપણ કાર્ય કરાયું હતું.

શ્રી અરૂણભાઇ જાષીએ આભાર દર્શન કર્યું હતું.

માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરે શુભેચ્છા પાઠવી હતી.