ભુજ વ્યાયામ શાળા મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનાં શ્રી શિવશક્તિ મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેનાં હોલમાં ભજન-કીર્તન-સત્સંગ સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી.
મંડળનાં અધ્યક્ષ દમયંતિબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, દર્શનાબેન ત્રિવેદી, દક્ષાબેન શર્મા, સરોજબેન વેદાંત, દશરથબા જાડેજા, સાધનાબેન આશર, જનકબા જાડેજા, રસીકબા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, બીનાબેન ભટ્ટ, જયાબેન ગોર, કમળાબેન વાઘેલા, ભાનુબેન ભાનુશાલી, રમીલાબેન ભાનુશાલી તથા મંડળનાં દરેક-બહેનો સત્સંગમાં જોડાયા હતા. મંડળ દ્વારા માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન જમાડવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રીતુબેન વર્માએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
માનવજ્યોત સંસ્થા દ્વારા મહિલા મંડળનાં પ્રમુખ દમયંતિબેન સાગરપોત્રાનું બહુમાન કરવામાં આવેલ. મંડળનાં સર્વેબહેનોએ માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.