પાલારા ખાસ જેલ મધ્યે ઉકાળો-આયુર્વેદિક ગોળીઓ-માસ્ક વિતરણ કરાયા

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી કમલેશભાઇ જાષીનાં માર્ગદર્શન હેઠળ પાલારા ખાસ જેલનાં કેદી ભાઇ-બહેનો, સ્ટાફ તથા કવાટર્સમાં રહેતા પરિવારોને અનેક ઔષધિયોમાંથી બનાવેલો તૈયાર ગરમ ઉકાળો, રોગપ્રતિકાર શક્ત વધારનાર આયુર્વેદિક ગોળીઓ તથા માસ્ક વિતરણ કાર્યક્રમ પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ. ગોહેલ, ડો. પાવનભાઇ ગોર, માનવજ્યોતના પ્રબોધ મુનવરની ઉપસ્થતમાં પાલારા ખાસ જેલ મધ્યે યોજાયો હતો.

ડો. પાવનભાઇ ગોરે કોરોના સામે રક્ષણ મેળવવા જરૂરી સમજ પૂરી પાડી હતી. ૨૫૦ કેદીઓ, સ્ટાફ તથા કવાટર્સમાં રહેતા દરેક પરિવારોને ઉકાળો, આયુર્વેદિક ટેબલેટો તથા માસ્ક આપવામાં આવેલ. રોગ પ્રતિકાર શક્તઓ વધારવા સમજ અપાઇ હતી.વ્યવસ્થામાં ડો. પવનકુમાર મકરાણી, માનવજ્યોત તથા જેલ સ્ટાફે સહકાર આપ્યો હતો.