સંસ્થા દ્વારા ૭ બિનવારસુ લાસોની અંતિમક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્તા ભુજ દ્વારા ૭ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ગાંધીધામનો અજાણ્યો ભીક્ષુક ઉ.વ. ૭૦, ભુજ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૮૦, ભુજ જુના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ અજાણ્યો ૩૯ વર્ષિય યુવાન, ટ્રાવેલ્સ બસમાંથી મળેલ ૨૨ વર્ષિય યુવાન, જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૦ અને ઉ.વ. ૬૦ મળી ૭ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઇ સગું-સાવકું ન મળતા. પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, રસીક જાગી, વિક્રમ સથવારાએ શાસ્ત્રો વિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી.

માનવતાના આ કાર્યમાં રોટરી ફલેમિંગો ચેરીટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારીત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં ૪૯૨ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકનાં મૃત્યુનાં પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાસ્ત્રો વિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.