માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ધાણેટી–કચ્છનાં એક સદ્દગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી શુદ્ધ દેશી-ઘીનાં અડધો કિલોનાં એક હજાર મીઠાઇ બોક્ષ જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ હાથો હાથ વિતરણ કરવામાં આવેલ.
ધાણેટી-કચ્છનાં એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીનાં ૭૫૫ મીઠાઈ બોક્ષ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ તથા દેવ્યાનીબેન સુરેશભાઈ દવે-માધાપર તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા ર૪પ મીઠાઈ બોક્ષ વિતરણ કાર્ય માટે સહયોગ મળેલ.
ગરીબો, શ્રમજીવીકો તથા જરૂરતમંદ લોકો દિપાવલી પર્વ આનંદ-ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા ઉદેશ સાથે માનવજ્યોત સંસ્થાનાં સર્વે કાર્યકરો ભુજ અને ભુજ વિસ્તારમાં ઝુંપડે ઝુંપડે જઈ મીઠાઈ વિતરણ કર્યું હતું. જેથી ગરીબ અને શ્રમજીવીકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
મીઠાઈ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ માનવજ્યોત કાર્યાલય ભીડગેટ સ્થળેથી એરફોર્સનાં ડો. કૌટીલ્ય ચૌધરીની ઉપસ્થિતિમાં કરાયો હતો. સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. પ્રારંભે ૧૦૧ શ્રમજીવીક પરિવારોને મીઠાઈ વિતરણ કરી કાર્યનો પ્રારંભ કરાયો હતો.
શ્રી રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, નરશીભાઈ પટેલ, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુરજીભાઈ ઠક્કર, નિતિન ઠક્કર, જેરામસુતાર, વનરાજસિંહ જાડેજાએ જુદા-જુદા વિસ્તારોમાં જઇ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કર્યું હતું. વ્યવસ્થા આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, અક્ષય મોતા, દિપેશ ભાટીયાએ સંભાળી હતી.