વસંત પંચમી દિને લગ્નો નિમિત્તે ઠેર-ઠેર ભોજન સમારંભો યોજાયા હતા. જેની વધી પડેલી રસોઇ લઇ જવા માટે માનવજ્યોત સંસ્થાને ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે વતરણ કરતાં 3 હજાર થી વધુ ગરીબો લોકો ભરપેટ જમ્યા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, અક્ષય મોતા, દીપેશ ભાટીયા, પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી.