નવરાત્રીના નવે દિવસ માનસિક દિવ્યાંગો ગરબે ગુમ્યા આગેવાનો પણ રાસ રમ્યા

મિલેસૂર હમારા વુમન્સ મ્યુઝિકલ સંસ્થા અને સૂર આરાધના મ્યુઝિકલ સંસ્થા ભુજ દ્વારા માનવજયોત સંસ્થા ભુજનાં સથવારે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે રાસ-ગરબાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે મા જગદંબાની આરતી ઉતારવામાં આવેલ.

ભુજનાં સામાજિક આગેવાન અને સંગીતપ્રેમી શ્રી ઝવેરીલાલભાઈ સોનેજીએ પોતાનાં જન્મદિવસની ઉજવણી માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને કરી હતી. પ્રારંભે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે સૌનું સ્વાગત કર્યું હતું.

૭૬ વર્ષની મંજિલ કાપી ૭૭ માં વર્ષમાં પ્રવેશતા શ્રી સોનેજીભાઈનાં મિત્ર વર્તુળ-શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને જન્મદિનની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

ભુજનાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે, જોરાવરસિંહ રાઠોડ, ભુપેન્દ્રભાઈ મહેતા, રસીકભાઈ મકવાણા, રશૈલેષભાઈ ચૌહાણ, જગદીશ ભટ્ટ, ભગીરથ ધોળકિયા, રાજેશ ખંડોલ, હર્ષદ દોશી, પીરેનભાઈ ગોર, અતુલ રાજગોર, નિતીન કેશવાણી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશભાઈ ઠક્કર તથા રતનભાઈ દાવડાએ સંગીતરસ પીરસ્યો હતો. પૂજાબેન અવાચી, જીશાબેન ડાભી, લીનાબેન ડાભી, હીનાબેન સોની, તૃમીબેન ઠક્કર, હેલ્મી બુચ, રીના ઠક્કર તથા ગ્રુપનાં બહેનોએ માનસિક દિવ્યાંગોને રાસ-ગરબા રમાડયા હતા. શ્રી સોનેજીભાઈને કચ્છી પાથડી, શાલ, હારતોરાથી સન્માનિત કરાવા હતા. તેમણે કેક કટીંગ કરી માનસિક દિવ્યાંગોને કેક ખવડાવી હતી. માનસિક દિવ્યાંગો હોંશે હોંશે ગરબે ઘુમ્યા હતા. રાસ-ગરબાની રમઝટ જામી હતી. ઉપસ્થિત સર્વે આગેવાનો માનસિક દિવ્યાંગો સાથે ગરબે ગુમ્યા હતા.

મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ ભુજ, સુર આરાધના મ્યુઝિકલ કલબ ભુજ તથા વીબીસી યુવક મંડળ જીવદયા ગ્રુપ માધાપર દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન જમાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ ઠક્કર તથા પૂજાબેન અયાચીએ કરેલ.

શ્રી શંકરભાઈ સચદે, શ્રી જોરાવરસિંહ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કરી સોનેજીભાઈનાં જીવનનાં અનેક સત્કાર્યોને વર્ણવ્યા હતા. દાતાશ્રી રવજીભાઈ કરશનભાઈ હાલાઈનું માનવજયોત દ્વારા સન્માન કરાયું હતું. ૨૦ વર્ષ પછી પોતાનાં ઘરે જઈ રહેલ આંધ્રપ્રદેશના હૈદ્રાબાદની મહિલાને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

વ્યવસ્થામાં રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ પાટીદાર, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, નરશીભાઈ પટેલ, વનરાજસિંહ જાડેજા, પ્રવિણભાઈ ભટ્ટા, આનંદ રાયસોની, નીતિન ઠક્કરે સંભાળી હતી.