અધિક માસનાં છેલ્લા દિવસે લોકોએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું દરેક સમાજનાં લોકો જાેડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા અધિક માસનાં છેલ્લા દિવસ, પ્રથમ આસોવીદ અમાસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પરિવારો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી, માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન  કરાવી, દાન-પૂન કરી અધિકમાસની પુર્ણાહુતિ કાર્યક્રમમાં જાેડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિઓમાં જાેડાઇ પાવન બન્યા હતા. આશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી.

ભાનુબેન ચંદ્રશેખર ભટ્ટ, ગોસ્વામી અંક્તિગર ચમનગર-કેરા, મનહરબા જખુભા જાડેજા, લક્ષ્મીબેન ઓધવજી બારમેડા-ભુજ, જયાબેન હીરજી ખારવા, હીનાબેન ચેતનકુમાર હંસોરા-જાલના, સ્વ. ચંદ્રસેન વલ્લભદાસ જાેષી, હર્ષાબેન ભાસ્કરભાઇ માંકડ, રશ્મીન ચંદુલાલ હંસોરા, નવુબેન લાલજી પટેલ, લક્ષ્મીબેન ગોપાલ હાલાઇ, વિનોદભાઇ દેવજી પિંડોરીયા, નવિનભાઇ ઐયા-ભુજ, સ્વ. યશ મુકેશ જાેષી, લક્ષ્મીબેન પ્રેમજી વરસાણી, શ્રી રામ મહિલા મંડળ-માધાપર, સાગર મોહનભાઇ પરમાર, હિતાર્થી પારસ ગાલા, પારેશ્વર મહાદેવ સત્સંગ મહિલા મંડળ-રામપર વેકરા, ડાયમંડ મહિલા મંડળ-ભુજ, અરિહંત એકાઉન્ટ અને મહાલક્ષ્મી યુનિ ફોર્મ-મુન્દ્રા, રમણિકલાલ એમ. મહેતા, અરોરા મહમદ રફીક- ભુજ, શામજીભાઇ તથા અમૃતાબેન મહેશ્વરી-ભુજએ માનસિક દિવ્યાંગોને ભોજન જમાડ્યું હતું.

કપીરાજ હનુમાન મંદિર-મિરઝાપર, રામદેવપીર મંદિર-લાખોંદ, પાર્શ્વનાથ સોસાયટી-માધાપર, આઇયાનગર મહિલા મંડળ-માધાપર, શક્તિનગર-૨ના રહેવાસીઓ-ભુજ, ભાવનાબેન જેરામ ગોરસીયા બહેનોનું ગ્રુપ-માધાપર, અરવિંદભાઇ ચૌહાણ-કુકમા, રાધાબેન પ્રેમજી હાલાઇ-કેરા, કલ્યાણભાઇ શીવજી કેરાઇ-લંડન, કાનબાઇ ધનજી પટેલ, ભાનુશાલી શેરી જેષ્ઠાનગરના બહેનોએ તૈયાર રસોઇ બનાવી અધિકમાસનો લાભ લીધો હતો. આ રસોઇ માનસિક દિવ્યાંગો તથા ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવેલ.

વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, દિનાનાથજી, મનીષ મારાજ તથા નવલબેન, આરતી જાેશીએ સહકાર આપ્યો હતો.