શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં 60 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને નવા ડ્રેસ અર્પણ કરાતાં સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી.
ગ્રુપનાં અધ્યક્ષ વિપુલ પટેલ તથા ઉપાધ્યક્ષ વિરેન્દ્ર લોડાયાનાં માર્ગદર્શન હેઠળ ગોવિંદજી પટેલ, પ્રબોધ મુનવર, પ્રવિણ મોતા તથા કાર્યકર ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી અર્પણ વિધિ સંભાળી હતી.
માનસિક દિવ્યાંગ મહિલાઓને ઇમીટેશન, બંગડી, જેવી કટલેરી આઇટમો પણ અર્પણ કરાઇ હતી. શ્રી જયેશભાઇ જૈને કાર્યને બિરદાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આશ્રમ સ્થળે સૌએ વાછરાદાદા મંદિરે દર્શન કરી માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.