દેશભરમાં લોકડાઉન થયા પછી જરૂરતમંદો ખાવાની વસ્તુઓ મેળવવા શોધ ચલાવી રહ્યા છે. ઘરની કમાવનાર વ્યક્તિ ઘરમાં પૂરાઇ રહેતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલનાં તબકે રાશનકીટ, પૂરી-શાક, તથા તૈયાર ભોજનની ખાસ જરૂરત ઉભી થઇ છે. જીલ્લા વહીવટી તંત્ર પણ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે.
મંદિર ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સંસ્થાઓ તથા અન્ય ટ્રસ્ટો જરૂરતમંદ લોકોની મદદે આવ્યા છે. કપીરાજ હનુમાનજી મંદિર મીરઝાપરનાં તરૂણભાઇ દરજી, હર્ષદભાઇ સુથાર અને મિત્રોએ ૨૦૦ લોકો માટે ગરમ ખારી ભાત, તેમજ અન્ય બે મહિલાઓએ ૧૦૦ લોકો માટે ખારી પૂરી બનાવી માનવજ્યોત સંસ્થાને આપતાં માનવજ્યોત સંસ્થાએ આ પૂરી-ખારીભાત જરૂરતમંદ લોકો સુધી પહોંચાડી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, રસિક જાગી, રાજુ જાગી તથા ઇરફાન લાખા અને માનવજ્યોતની ટીમે સંભાળી હતી.
પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઇ છેડા તથા જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઇ પટેલે આ કપરી પરિસ્થતિમાં માનવજ્યોતની સેવાને બિરદાવી.