નારાયણસરોવર-કોટેશ્વર-માતાનામઢમાં દર્શનાર્થી ભાવિકોને કાપડની થેલીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારાયણસરોવર, કોટેશ્વર, માતાનામઢ તિર્થધામોનાં  દર્શનાર્થે આવેલ ભક્તજનોને પ્લાસ્ટીકનાં થેલી ઝબલાનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવાની સમજ આપી કાપડની થેલીઓનું વિતરણ કરી પર્યાવરણને બચાવવા, ગૌ માતાઓને બચાવવા અપીલ કરવામાં આવેલ. કાપડની થેલીઓ માટે સોની ખેતસી ખેંગાર ચેરીટેબલ ટ્રસ્ટ ભુજનો સહકાર મળેલ. નારાયણસરોવર તિર્થનાં કારભારી સોનલબેન પણીયા, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.