મારો લાડકવાયો પુત્ર મળી આવતા હૈયે ટાઢક વળી છે ગુમ થયેલ યુવાન ૯ મહિનાં પછી ઘરે પહોંચ્યો

ગુજરાતનાં અંકલેશ્વરનાં પીરામણ ગામનો યુવાન સ્ટીવન  ઉર્ફે ટીનો ઉ.વ. ૩૦, નવ મહિનાં પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતો-ભટકતો મોરબી સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટયર પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ મોરબીનાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટને તે એક પુલીયા નીચેથી સૂતેલી હાલતમાં મળ્યો હતો.

ટ્રસ્ટે તેને આશ્રય આપી તેની સારવાર કરાવી હતી. માનવજ્યોતનાં શ્રી દયારામ મારાજ તથા રિતુબેન વર્મા તેને ભુજ લઇ આવી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે તેની સારવાર શરૂ કરાવી હતી. ડો. મહેશભાઇ ટીલવાણીએ તેની સારી સારવાર કરતાં તે માત્ર ચાર દિવસમાં જ સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ વાલીયા પોલીસ મથકે આ યુવાન અંગે જાણ કરતાં પોલીસ તેનાં ઘર સુધી પહોંચી હતી. અને ખુશખબર આપ્યા કે તમારા દીકારની ભાળ મળી ગઇ છે. અને તે ભુજની માનવજ્યોત સંસ્થાનાં આશ્રમમાં છે. પરિવારજનોએ તુરત જ રિતુબેન સાથે વાત કરી ભુજ આવવા રવાનાં થયા હતા. માનવજ્યોત કાર્યાલયે પહોંચી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા પહોંચ્યા હતા.  પોતાનાં લાલાને જાઇ માતા સાવિત્રીબેન તથા યુવાનનીબેન તેને ભેટી પડ્યા હતા. આંખોમાં અશ્રુધારાઓ વહી હતી. તેની માતાએ જણાવ્યું હતું બે બહેનોનો લાડલો ભાઇ સ્ટીફન પિતાની છત્રછાયા બચપણથી ગુમાવી ચૂકયો છે. ત્રણ વર્ષ પહેલા ખેતરમાં કામ કરતાં અચાનક કુવામાં પડી જતાં પથ્થરો વાગવાથી યાદ શકિત કમજાર પડી હતી. ૯ મહિનાં પહેલા તે અચાનક ફરવા નીકળી ગયેલ અને કોઇક ટ્રેનમાં બેસી ગયેલ અને ગુમ થયેલ. અમોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આજે મારો લાડકવાયો પુત્ર મળી આવતાં હૈયે ટાઢક વળી છે. મારા લાલાને હેમખેમ જાઇ હું મારા દિલને રોવાથી રોકી શકી નહીં. આખરે સ્ટીફન પોતાનાં ઘરે પહોંચતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

માનવાતાનાં આ કાર્યમાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર, દયારામ મારાજ, રિતુબેન વર્મા, ગુલાબ મોતા, વાલજી કોલી, રાજુ જાગી સહભાગી બન્યા હતા.