મધ્યપ્રદેશનાં છીંદવાડા વિસ્તારની માપવી ઉર્ફે મીના ઉ.વ. ૨૦ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોપ ચલાવી હતી. તે ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી, અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠી હતી. આખરે તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટનાં આશ્રમે પહોંચી હતી. ટ્રસ્ટનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ અને સર્વે સ્ટાફે તેની ખૂબ જ સારી સારવાર કરી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનીયર પેરાલીંગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ લઈ આવ્યા. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી.
એનું ઘર અને પરિવાર શોધવાનું કાર્ય કઠીન હતું કારણ કે, તેને ગુમ થયે ૨૦ વર્ષ વીતી ગયા હતા. રીતુબેન વાંએ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોપી કાઢ્યા. પરિવારજનોએ વીડીયો કોલ કરી ખાત્રી મેળવી લઈ ભુજ આવી પહોંચ્યા. માતા-દીકરી અને ભાઈ-બહેનનું વીશ વર્ષ પછી મિલન થતાં હૈયાફાટ રૂદન સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દીકરીએ માતાને ઓળખી કાઢી માતાને ભેટી પડી હતી. મધ્યપ્રદેશના ક્રિચીયન પરિવારની વૃદ્ધ માતાએ જણાવ્યું હતું કે, મેં ચર્ચમાં મારી ગુમ દીકરી મને પાછી મળે તેવી પ્રાર્થના કરી હતી. જે આજે ફળી છે. દીકરીનાં પિતા ગુમ દીકરીની ચિંતામાં મૃત્યુ પામ્યા છે.
વીશ-વીશ વર્ષની મુશ્કેલીઓ-વેદનાઓનો અંત આવતાં ખ્રિસ્તી પરિવારે ખુશી વ્યક્ત કરી માનવજયોત સંસ્થાનો આભાર માન્યો હતો. મધ્યપ્રદેશ પોલીસનાં કમલેશકુમાર ધ્રુવની હાજરીમાં પરિવારને દીકરીનો કબ્જો સોંપાયો હતો.
આ પ્રસંગે ઝવેરીલાલભાઈ સોનેજી, રસીકભાઈ મકવાણા, ભાવેશભાઈ ઠક્કર, હરીભાઈ ગોર, પૂજાબેન અવાચી, જિજ્ઞાબેન સાકરીયા, કલ્પનાબેન શાહ, શિલાબેન ભટ્ટ, ગોપીબેન રાઠોડ, સુનંદાબેન વસા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ પાટીદાર, ઉપસ્થિત રહી મધ્યપ્રદેશ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. આખરે દીકરી ૪૦ વર્ષની થઈ પોતાનાં ઘર અને પરિવાર સુધી પહોંચતાં પરિવારની ખુશી બેવડાઇ છે.