હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી રઘુવંશીનગર મહાકાલેશ્વર મંદિર ચોક મધ્યે યોજવામાં આવેલ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

મંદિરના પુજારી વિઠ્ઠલગીરી ગોસ્વામી, ડો. પ્રતિક્ષાબેન પવાર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો.

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હાલમાં ચાલી રહેલા રોગો વિશે સમજપૂરી પાડવામાં આવેલ. દર્દીઓનાં દર્દનું નિદાન કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ. ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી હતી.

વ્યવસ્થા આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, ઇલાબેન વૈષ્ણવ, માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોર, ભાવનાબેન જોષી તથા રઘુવંશીનગર મહિલા મંડળ અને યુવક મંડળનાં કાર્યકર ભાઇ-બહેનોએ સંભાળી હતી.