હાલે કોરોના વાયરસનો સંકટ ચાલી રહ્યો છે. લોકો પોતાનાં પરિવારજનો સાથે ઘરમાં રહીને પણ સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. ખોટા ખર્ચથી બચી લોકો પોતાની લક્ષ્મીનો સદવ્યય કરતા હોય છે. જન્મદિવસ હોય, મૃત્યુ તિથિ હોય, પુણ્યતિથિ હોય કે બારસ, સ્વર્ગસ્થનાં આત્મશ્રેયાર્થે પુણ્યનું કાર્ય કરવું. જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવું, તેને ભોજન કરાવવાનું કે, સાધર્મિક બંધુને રાશન, અનાજ, આપી માનવસેવાનું અથવા ગાયોને ઘાસચારો,પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નાખી જીવદયાનું કાર્ય કરતા રહે છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી, જરૂરતમંદ વૃદ્ધોને ભોજન કરાવતા હોય છે.
શ્રી કપીરાજ હનુમાન મંદિર-મીરજાપર, શ્રી રામદેવપીર મંદિર-લાખોંદ, આઇયાનગર મહિલા મંડળ -માધાપર,ડાયમંડ મહિલા મંડળ-ભુજ, સ્વ. યશ મુકેશ જોષી-ભુજ, નાનુબેન દેવજી નારાણ પટેલ-માધાપર, વિનોદ રમણ માધાભાઈ પટેલ-માધાપર, તરંગ વિશાલ લાલકા-ગાંધીધામ, ધીરેનભાઇ લક્ષ્મીકાન્ત શાહ-ભુજ, વિશ્રામસામજીરાબડીયા-સુખપર, નવિનભાઈ એયા-ભુજ, રાજુલ ગીરીશ છેડા-ભુજ, લીલાબેન નરેશ સતરા-ભુજ, નાનાલાલભાઈ રણછોડ શાહ-ભુજ, અમૃતાબેન બાબુલાલ શાહ, સ્વ. ભરતભાઇ વલમજી વાઢેર-અંજાર, અરવિંદભાઇ રામજી હાલાઇ-સુરજપર, કેનવી શૈલેષ શાહ-ભુજ આવા અનેક પરિવારો ભુજ નજીક આવેલા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી પ્રસંગની સાચી ઉજવણી કરી પુણ્યનું ભાથું બાંધી સમાજનેપ્રેરણારૂપ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
હવે સરકારશ્રીના નિયમો કાયદો અને ગાઈડલાઈન મુજબ મોટા જમણવાર કે ભોજન સમારંભો, ઉજવણીઓ ઉપર પ્રતિબંધ છે ત્યારે જરૂરતમંદો અને સાધર્મિક બંધુઓને મદદરૂપ બનવું જરૂરી બન્યું છે ત્યારે લોકો કર્માધીન માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનાં કાર્યને અતિ ઉત્તમકાર્યમાની ભોજન કરાવતા હોય છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, નરશીંભાઇ પટેલ, દિપેશ શાહ,આનંદ રાયસોની, રફીકબાવા તથા સર્વે કાર્યકરો માનવસેવા અને જીવદયા કાર્યોમાં સહકાર આપતા રહે છે.