માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માનવસેવા- જીવદયાનાં કાર્યો સાથે કરવામાં આવી હતી.
માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ, કીડીયોને કીડીયારૂં જેવી પ્રવૃત્તિઓ સાથે મકરસંક્રાંતિ પર્વ ઉજવાયો હતો.
પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવા અનેક પુણ્યશાળી પરિવારો પાલારા મધ્યે શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. અને માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
ભાનુશાલી યુવા ગ્રુપ-માધાપર, મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, વીડી રીયુનિયન ગ્રુપ-ભુજ તથા દાતાશ્રી પરિવારોએ આશ્રમની મુલાકાત લઇ અહીં થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને ખબર- અંતર પૂછી તેમને નવા વસ્ત્રો, ખાવા-પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કર્યું હતું.
સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મહિલાઓને મધુભાઇ ત્રિપાઠી, રફીક બાવા, દિપેશ શાહે આશ્રમની મુલાકાતે આવેલા પરિવારોનું સ્વાગત કર્યું હતું. ત્રણ સંસ્થા દ્વારા સિવણ મશીનો અર્પણ કરાયા હતા. ગરીબોનાં ઝુંપડે વસ્ત્રો વિતરણ કરાયા હતા.
બ્લુ કલરનાં નવા વસ્ત્રોમાં સજ્જ માનસિક દિવ્યાંગોએ પતંગ-ફીરકી હાથમાં લઇ પતંગ ચગાવ્યા હતા અને અનેરો આનંદ મેળવ્યો હતો. ખુબજ ખુશ મિજાજમાં જોવા મળ્યા હતા.
વિનોદભાઇ પિંડોરીયા-માધાપર, દિવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, અશોકભાઇ કેશવલાલ સંઘવી-મુજ, માનબાઇ મનજી લીંબાણી, જીતેશ વાલજી શિયાણી, શ્રી મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર, ટ્વીનકલ નિખીલ કતીરા – મુલુન્ડ, કુલદીપ ગજેન્દ્ર ગોસ્વામી-ભુજ, કાન્તીભાઇ હીરજી હીરાણી-માધાપર, રીનાબેન પ્રવિણભાઇ હીરાણી, ગોવિંદભાઇ શામજી રાબડીયા સુખપર, એક સદ્દગૃહસ્થ મુજ, નવિનભાઇ ઠક્કર ભુજ,લીલાવંતીબેન ત્રિકમજી સોનાઘેલા- ભુજ, ધ્રુવ નિલેશભાઇ પીડોરીયા-માધાપર, દીપસંગજી મમુજી સોઢા-વાંઢાય, હુલ્લાસબા જીવુભા ગોહિલ-ત્રાંપજ, ધ્વજ,હેતાંશ અરવિંદ હીરાણી, કુંવરબેન શીવજી ગોડલીયા,ધીરેનભાઇ ભુત ભાર્ગવ ભુત ભુજ, મનોજભાઇ ઠક્કર, રાજેન્દ્રભાઇ ઠક્કર-ભુજ પરિવારો, વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી બન્યા હતા.
વ્યવસ્થા પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા. કલ્પાબેન લાલન, વાલજી કોલીએ સંભાળી હતી.