દિપાવલી પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે અનેક દાતાશ્રીઓ તથા સેવાભાવી પરિવારો કોરોના સંકટમાં પણ જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવી રહ્યા છે. અને દરેક પરિવારોનાં ઘરે દિવાળી પર્વ ઉજવાય એવી અંતરની ઉદારદિલ ભાવનાઓ સાથે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે.
સ્વ. જ્યાબેન બાલાશંકર વ્યાસ અંજારનાં સ્મણાર્થે કિશોરભાઈ બી. વ્યાસ, ડો. દિપેશ વ્યાસ, વૈભવ વ્યાસ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારાનાં માનસિક દિવ્યાંગો, એકલા અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન તથા જરૂરતમંદ લોકોને તા. ૬ થી ૧૨ સુધી તૈયાર ભોજન શ્રી રામદેવપીર મંદિર લાખોંદનાં સહકારથી જમાડવામાં આવી રહેલ છે. જુદા–જુદા દાતાશ્રીઓ તથા મંડળો અને ગામવાસીઓ દ્વારા મળતી તૈયાર રસોઈ ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવી રહેલ છે. જેથી જરૂરતમંદ પરિવારો ખુશી અનુભવી રહ્યા છે.