શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તજનો ધર્મ આરાધના સાથે માનવસેવાનું કાર્ય કરી રહ્યા છે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દાન-ધર્મમાં માનનારા ભક્તો આખો શ્રાવણ મહિનો રાખી, એકટાણા કરી, ભોલેનાથની પૂજા, અર્ચના કરી પોતાના જીવનને ધન્ય બનાવતા હોય છે. ભક્તજનો જુદા-જુદા મંદિરોનાં દર્શન પહોંચે છે. અને ભગવાન શિવશંકરના ચરણે શિશ ઝુકાવી ભÂક્ત ભાવથી પૂજા-દર્શન કરે છે. સાથે સાથે માનવસેવાનું કાર્ય કરી દાન પૂન કરી માનવતાનાં કાર્યને મહેકાવતા રહે છે.
પાલારા-કચ્છ મધ્યે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જાવા મળે છે. ભક્તજનો દૂર દૂરથી અહીં મંદિરે પહોંચી મહાદેવ ભગવાનની આરાધનામાં જાડાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો મંદિર પાછળ આવેલા શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી અનેક ઘણું પુન્ય પ્રાપ્ત કરતા હોય છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માનવસેવાનું ધામ બની ચૂકયું છે. અનેક લોકો ભાવિકો માનવસેવાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અને જાવા પાલારા સુધી પહોંચે છે. માનસિક દિવ્યાંગોનું આશ્રમ જાઇ અને કાર્ય જાઇ ધન્યતા અનુભવતા હોય છે.