માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કોરોના સંકટમાં લોકડાઉન અને અનલોકમાં અત્યાર સુધીમાં ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ ૧,૩૭,૧૯૭ શ્રમજીવીકોને ભોજન કરાવવામાં આવ્યું છેજેમાં જુદા- જુદા ગામો, મંદિરો, ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, સોસાયટીઓ, નગરો અને વિવિધ દાતાશ્રીઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે. જેનાં કારણે ભૂખ્યાને ભોજન આ પ્રવૃત્તિ જનતા કફર્યુ દિવસથી આજ દિન સુધી સતત ચાલુ છે.અત્યાર સુધીમાં ૮૧૯૫ જરૂરતમંદ પરિવારોને જુદા-જુદા દાતાશ્રીઓનાં સહયોગથી રાશનકીટો તેમનાં ઘર સુધી પહોંચતી કરાઇ છે.૭૦ની વય વટાવી ચૂકેલા ૮૯ એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી જઇ ટીફીન દ્વારા દરરોજ ભોજન પહોંચાડાય છે.લોકડાઉન અને અનલોકમાં ૧૪ બિનવારસ લાસોની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી છે.૧૩૬૩૭ લોકોને કાપડનાં ટકાઉ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. ટમેટા કોબી-ફલાવર-દુધી-રીંગણા-કાકડી જેવી શાકભાજી વિતરણ કરવામાં આવી છે.જરૂરતમંદ ૨૦૦ પરિવારોને પાણીનાં માટીનાં માટલા વિતરણ કરાયા છે. ૩૦૦ બાળકોને પગરખા વિતરણ કરાયા છે. ભુજની ચારે દિશામાં ઝુંપડા-ભૂંગાઓમાં જરૂરતમંદોને કપડા વિતરણ કરાયા છે. બાળકો-ભૂલકાંઓને આંબા (કેરી) વિતરણ કરવામાં આવ્યું છે.હોસ્પીટલોમાં દર્દીઓ સાથે આવેલા તેમના સગા-સંબંધીઓને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. આયુર્વેદિક સૂંઠ પાવડરની ૨૫ હજાર પડીકીઓનું વિતરણ કરાયું છે.૨૧,૩૧૩ લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવવામાં આવ્યો છે.૪૭૯ લોકોને હોમીયોપેથી તથા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરાયું છે.એલચી-કપૂર મિશ્ર પાવડરની પાંચ હજાર પડી સૂંઘવા માટે વિતરણ કરાઇ છે.રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૧૭ માનસિક દિવ્યાંગોને તેમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવામાં આવેલ છે.મળી આવેલી ૩ યુવતીઓને ૧૮૧ હેલ્પલાઇન મારફતે ઘર સુધી પહોંચાડવામાં આવેલ છે.૪ દિવ્યાંગોને ટ્રાયસિકો અર્પણ કરાઇ છે. ૪૩૦ મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ છે.૧૫૪૫ કાપડની થેલીઓ વિતરણ કરાઇ છે. ૪૦૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીને લોટ તેમજ કીડીયારો નિત્ય પુરવામાં આવે છે. કુંડા,ચકલીઘર,ચણ થાળી વિગેરે કચ્છના દરેક શહેરો અને ગામડાઓમાં લટકતા જાેવા મળે છે.
આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શંભુભાઇ જાેષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, વનરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતાર તથા સર્વે કાર્યકરોની. ટીમે પોતાની સેવાઓ આપી રહી છે.
ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવ, ઇન્દુબેન ઠક્કર, અનિતાબેન ઠાકુર, આરતી જાેષી, હાફીઝાબેન વિતરણ વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા.
રાજકીય આગેવાનો, ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા સમાજ સુરક્ષા કચેરી, માનસિક આરોગ્યની હોસ્પીટલ-ભુજ, જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા આયુર્વેદ શાખા ડો. કમલેશભાઇ જાેષી, ડો. પાવન ગોરપવનકુમાર મકરાની, પોલીસ તંત્ર, અખબાર-મીડીયા, દાતાશ્રીઓ વિગેરેનો સાથ અને સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે