માનવજ્યોતને ૧ લાખનું અનુદાન અપાયું

એક શ્રીમંત દાતાશ્રીએ રાજ્યનાં મંત્રી શ્રી વાસણભાઇ આહિરને એક લાખ રૂપિયાનો ચેક આપી કહ્યું કે, આ કોરોના મહામારીમાં આપને યોગ્ય લાગે ત્યાં આ એક લાખનું દાન આપનાં હસ્તે કરજા.

ગાંધીધામનાં શ્રી ડોલત ચાંદનાની (ભોલાભાઇ), જીવ સેવા સમિતિ ગાંધીધામ દ્વારા કોરોના મહામારીમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી જઇ ભૂખ્યાને ભોજન કરાવનાર તથા માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્ત જેવી પ્રવૃત્તિઓ કરનાર ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રતનાલ ગુરૂકૃપા ફાર્મ ખાતે બોલાવી એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઇ હુંબલ ઉપસ્થત રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરનાં વરદ્‌ હસ્તે ચેક સ્વીકારી મંત્રી શ્રી તથા દાતાશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.