માનવજ્યોત દ્વારા ૫૦૦ પરિવારોને રાશન કીટ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

કાળઝાળ મોંઘવારીમાં પીસાતા અનેક પરિવારો એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં જીવતા અને ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા પરિવારોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા પાંચ કિલો ઘંઉનો લોટ તથા પાંચ કિલો ચોખા સાથેની રાશનકીટ પહોંચાડવાનાં કાર્યનો આરંભ કરાયો હતો.

ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ પરિવારોનાં ઘર સુધી જઇ સંસ્થાનાં કાર્યકરોએ હાથોહાથ રાશનકીટ વિતરણ કરી હતી. ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, ગોવિંદભાઇ પાટીદાર, દિપેશ શાહ, નીતિન ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, મુરજીભાઇ ઠક્કર, નરશીભાઇ પટેલ તથા કાર્યકરોએ જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી