કોરોના મહામારી સંકટ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રમેશભાઈ માધવજી ગોર ખાખર હાલે દેવલાલીનાં સહયોગથી જરૂરતમંદ લોકોને સ્ટીમવેપોરાઈઝર તથા રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
નાક દ્વારા ગરમ વરાળ લેવાથી કોરોના સામે રક્ષણ મળે છે. તેમજ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પણ નીવડી છે. ત્યારે લોકોને સ્ટીમવેપોરાઈઝર અપાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, દિપક મારાજ, આનંદ રાયસોની, દિપેશ શાહે સંભાળી હતી