માનવજ્યોત દ્વારા વિશ્વપર્યાવરણ દિને 1 હજાર તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે ભુજની શરાફ બજાર પોલીસ ચાવડી પાસે, જયુબીલી ગ્રાઉન્ડ, એસ.ટી.બસ સ્ટેશન તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીરોપા તથા કણેલનાં વૃક્ષો વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અપીલ કરાઇ હતી.
આ પ્રસંગે શહેરનાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, પોલીસ “સી,, ટીમનાં શીતલબેન નાઇ, રમીલાબેન શાહુ, સચિનભાઇ ઠક્કર, પરેશ માહેશ્ર્વરી, અકીલભાઇ મેમણ, માલશીં નામોરી, ઝહીર સમેજા તથા આગેવાનોનાં વરદ્ હસ્તે તુલસીરોપા તથા કણેલનાં વૃક્ષો વિતરણ કરાયા હતા.
શ્રી શંકરભાઇ સચદેએ જણાવ્યું હતું કે, ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જીત છે. વધારેમાં વધારે વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી-તાપમાંથી મુક્તિ મેળવી શકશું.
ભુજનાં એસ.ટી.બસ પોર્ટ, જયુબિલી ગ્રાઉન્ડ, ભીડગેટ વિસ્તારોમાં આવતા-જતા રાહદારીઓને નિઃશુલ્ક તુલસીરોપા વિતરીત કરાયા હતા.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, મુરજીભાઇ ઠક્કર, આનંદ રાયસોની, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, અમૃત ડાભીએ સંભાળી હતી.