માનવજ્યોત દ્વારા જરૂરતમંદ ૨૦૦ પરિવારોનાં ઝુંપડે જઇ માટલા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા, ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે જઇ ૨૦૦ પરિવારોને ઠંડાપાણીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા.

ભુજ શહેરનાં કેમ્પ વિસ્તારનાં સાંઇબાબા મંદિર નજીક સોશીયલ ડીસ્ટન્સનું પાલન કરી જરૂરતમંદ પરિવારોને માટીનાં માટલા વિતરણ કરાયા હતા. સાથે સાથે દરેકને માસ્ક આપી માસ્ક ફરજિયાત પહેરવા સમજ અપાઇ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદોને આ માટલા દ્વારા પીવાનું ઠંડુ
પાણી મળી રહેશે.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, મગનભાઇ ઠક્કર, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, નરશીંભાઇ પટેલ, સાંઇબાબા મંદિરનાં પુજારી મનજીભાઇ, આનંદભાઇ રાયસોનીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. સાંઇબાબા મંદિર વિસ્તારમાં સતત બે મહિનાં સુધી જરૂરતમંદોને ભોજન પહોંચાડનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું શ્રી રજાકભાઇ લંગાએ હારતોરાથી સાલ ઓઢાળી વિસ્તારવાસીઓ વતી સન્માન કર્યું હતું.