માનવજ્યોતની ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ જરૂરતમંદો સુધી પહોંચી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટ અનલોક-૨ દરમ્યાન કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, રામદેવપીરમંદિર લાખોંદ, આઇયાનગર મહિલા મંડળ-માધાપરનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદોનેભોજન કરાવાય છે. જનતા કફર્યું દિવસથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજનપ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. જેઆજે પણ ચાલુ રહી છે. મંદિરો ટ્રસ્ટો, દાતાશ્રીઓ, સોસાયટીઓ, નગરો, યુવક મંડળો, મહિલામંડળો તથા વિવિધ સંસ્થાઓ અને અનેક ગામવાસીઓ તૈયાર રસોઈ બનાવી માનવજ્યોતને આપે છે. માનવજ્યોત સંસ્થા ભૂંગા-સુંપડાઓમાં રહેતા જરૂરતમંદો તથા શ્રમજીવીકો સુધી આ રસોઇ પહોચાડે છે. જેથી ભૂખ્યાને ભોજન મળતાં તેનો જઠારાગ્નિ ઠરે છે. આમઆ પ્રવૃત્તિ આજે પણ અવિરત ચાલુ રહી છે. અત્યાર સુધીમાં ૧,૪૦,૭૦૩ ભૂખ્યા લોકોને ભોજન કરાવાયું છે. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, આનંદ રાયસોની, નીરવ મોતા, દિપેશ ભાટીયા, અક્ષય મોતા, ઇઈરફાનલાખાએ વવ્યવસ્થા સંભાળી રહ્યા છે.