ભુજ નગરપાલિકાનાં નિવૃત્ત કર્મચારી અને પેન્શનર શ્રી હરેન્દ્ર મહેતા દ્વારા માનવજ્યોત સંસ્થાની અત્યારે ચાલી રહેલી કોરોનાં સામેની લડતની પ્રવૃત્તિથી ખુશ થઇ સંસ્થાને ૫૧ હજારનું અનુદાન આપ્યું હતું.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ગોઝારા ભુકંપમાં પોતાની પત્ની, પુત્ર, પુત્રવધુ ગુમાવનાર શ્રી હરેન્દ્ર મહેતાએ કોરોનાથી ઉભી થયેલ પરિસ્થતિમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, ભુકંપમાં માર્યા ગયેલ પરિવારજનોનાં મોક્ષા અર્થે શ્રીમતિ રાજેશ્વરીબેન હરેન્દ્ર મહેતા પરિવાર ભુજ દ્વારા આ અનુદાન માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ પરિવારનો આભાર માન્યો હતો.