માનવજ્યોત સંસ્થા ભુજને ૧ રૂમનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને દાતાશ્રી અ.નિ. નાનજીભાઇ હીરજીભાઇ માધાપરીયા અને અ.નિ. રવજીભાઇ હીરજીભાઇ માધાપરીયા-માધાપર હાલે બોલ્ટન યુ.કે. હસ્તે દેવુબેન નાનજી માધાપરીયા પરિવાર દ્વારા એક રૂમનું અનુદાન અપાયું હતું. સંસ્થાની પ્રવૃત્તિથી ખુશ થઇ દાતા પરિવારે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર તથા લવભાઇ ઠક્કરે દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો