માનવજ્યોત દ્વારા માનવસેવા-જીવદયા કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા અને જીવદયાનાં કાર્યો સાથે મકરસક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, શ્ર્વાનોને રોટલા, જેવા જીવદયાનાં કાર્યો કરાયા હતા.

કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, શ્રી રામદેવપીર મંદિર હિલગાર્ડન રોડ, લક્ષ્મી મહિલા મંડળ-મીરઝાપર દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને રામબાઇ જાદવા વરસાણી-લંડન,પરબતભાઇ નારાણભાઇ માધાપરીયા યુ.કે. દ્વારા ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન અર્પણ કરવામાં આવેલ.

આઇયા નગર મહિલા મંડળ-માધાપર દ્વારા માનવજ્યોતને અનાજની વસ્તુઓ અર્પણ કરવામાં આવેલ.

પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી.