મહાશિવરાત્રી પર્વે ભુજ તથા ભુજ વિસ્તારનાં અનેક ગામડાઓમાં મહાદેવજીનાં મંદિરે મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલી રસોઇ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં પાંચ હજારથી વધુ ગરીબો ભરપેટ જમ્યા હતા અને મહાશિવરાત્રી પર્વ મનાવ્યો હતો.
રતનાલ, ત્રાયા, માનકુવા, યુ.કે. લાયન્સનગર, હીરાણી નગર, હાટકેશ કોમ્પલેક્ષ, ગૌસ્વામી સમાજવાડી તથા ભુજનાં વિવિધ મંદિરોથી મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે પહોંચ્યો હતો. ઝુંપડે-ઝુંપડે આ મહાપ્રસાદ પહોંચ્યો હતો. ગરીબ પરિવારોએ મિષ્ટાન-ફરસાણ સાથેનું મિષ્ટાન જમી ખુશી વ્યક્ત કરી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, રાજેશ જોગી, રાજુ જોગી, ઇરફાન લાખાએ સંભાળી હતી.