નવલી નવરાત્રીનાં દુર્ગાષ્ટમી નિમિત્તે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામો અને તેની સમાજવાડીઓમાં મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા. ભુજની માનવજ્યોત સંસ્થાને ભોજન- પ્રસાદ વધ્યાનાં 27 ફોન આવ્યા હતા. સંસ્થાનું વાહન સમાજવાડીઓ સુધી પહોંચી જઇ ગરમ રસોઇ ભરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં 2700 થી વધુ ગરીબોએ ભરપેટ ભોજન કરી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, રફીક બાવા, રાજેશ જોગી, રસિક જોગી, રાજુ જોગી, ઇરફાન લાખાએ સંભાળી હતી.