માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીનાં રહેવાસીઓ છેલ્લા ૧૫ દિવસથી દરરોજ ૨૦૦ જણાની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. આ ગરમ રસોઇ અનેક જરૂરતમંદોનાં જઠારાગ્ન ઠારે છે. યોગેશ ગોસ્વામી તથા સર્વે કાર્યકરો અને બહેનો માનવસેવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. દરરોજ અનેકોનાં પેટન ખાડો પુરાઇ રહ્યો છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે આભાર વ્યક્ત કર્યો હતો.