માનવજ્યોત દ્વારા બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન

છેલ્લા ૧૯ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જે બાળકો શાળાએ જતા નથી, તેવા બાળકોને શોધી શોધીને શાળાએ જતા કરવામાં આવે છે. સરકારશ્રીનાં શાળાપ્રવેશોત્સવ વખતે જુદી-જુદી શાળાઓમાં આવા બાળકોને શાળામાં દાખલ પણ કરાવી આપવામાં આવે છે.
કચરા-પ્લાસ્ટીક વિણતા તેમજ મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામ માંથી મુક્ત કરાવી વાંચતા-લખતાં શીખાડી નજીકથી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થાએ આવા ૪૫૦ બાળકોને અક્ષરજ્ઞાન અપાવ્યું છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, ૨મેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિપેશ શાહ, અરવિંદભાઇ ઠક્કર, નિતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કર આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.