માનવજ્યોત દ્વારા લીંબુ સરબત વિતરણ શરુ કરાયું

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપ વચ્ચે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા લીંબુ પાણીનું વિતરણ ઠેર-ઠેર કરવામાં આવી રહ્યું છે. સખત ગરમીમાં લોકો ચકર,ઉલ્ટી, માથાનો દુઃખાવો જેવી બિમારીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને ગરમીમાં ઠંકડ મળી રહે એ માટે માનવજ્યોત દ્વારા લીંબુ પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો મજુર-શ્રમજીવીકો લાભ લઇ રહ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, ઇરફાન લાખા, રાજેશ જોગી, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.