માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં મજુરી મુક્ત બાળકોને એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ડી.જી. રાણા સાહેબ તરફથી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેરનાં સચિવ શ્રી બી.એન. પટેલસાહેબનાં વરદ્ હસ્તે સ્વેટર અર્પણ કરાયા હતા. અને ઠંડી સામે રક્ષણ અપાયું હતું.
જજ શ્રી ડી.જી. રાણા સાહેબે બાળકોને ખૂબ જ ઉપયોગી એવી માહિતીની સમજ પૂરી પાડતાં કહ્યું હતું કે, શિક્ષણ કાર્યમાં ધ્યાનપૂર્વક આગળ ધપી ખૂબ જ ભણી-ગણીને આગળ વધજા. જે જાઇએ એ ભગવાન પાસે માંગો. ભગવાન તમને ચોકક્સ આપશે. સૌથી વધારે સારી બુદ્ધિ માગવાની. વર્ગનાં બહેન જે ભણાવે એ બધું આવી જાય એવું ભગવાન પાસે માંગવું. જેટલું સારૂં ભણીએ એટલું આગળ વધી શકીએ. હેત પરમારે કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો.
માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે આવકાર આપ્યો હતો. શિક્ષિકા લતાબેન કે. ગજજરે આભાર દર્શન કરેલ.