“રક્ષકવન” મધ્યે મુલાકાતીઓને કુંડા ચકલીઘર વિતરણ કરાયા

<p>માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ -ખાવડા માર્ગ ઉપર આવેલ રક્ષકવન મધ્યે કુંડા અને ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.</p>
<p>ગુજરાત રાજ્ય વન વિભાગનાં વનપાલ શ્રી અશ્વીનભાઇ પંડયા, માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષીનાં વરદ્‌ હસ્તે રક્ષકવનની મુલાકાતે આવેલા દરેકે દરેક મુલાકાતીઓને કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક પર્યટકો અને પ્રવાસીઓને સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડવામાં આવી હતી. જીવદયાના આ કાર્યમાં લોકો હોંશે હોંશે જાડાયા હતા.</p>
<p>રક્ષકવન મધ્યે આકર્ષણનું કેન્દ્ર બનેલા “ચકલીઘર” માં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચકલીઓને રહેવા માટે માટીના ચકલીઘર, કુંડા, ચણથાળી ગોઠવવામાં આવેલ છે. વિશાળ પ્રમાણમાં ચકલીઓ અહીં જાવા મળે છે. જે જાવા લોકો દૂર-દૂર થી અહીં ઉમટી રહ્યા છે. વ્યવસ્થામાં વનપાલ શ્રી કુણપરા તથા હિતેશ ગોસ્વામી, સાગર લાલકા, ઇરફાન લાખાએ સહકાર આપ્યો હતો.</p>