માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળનાં સાથ અને સહકારથી કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ખેતરપાળ દાદા મંદિર માધાપર મધ્યે પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
પ્રારંભે મહિલા મંડળનાં પ્રમુખ સાવિત્રીબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે મંત્રી ગીતાબેન ગોસ્વામીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી માનવસેવા અને જીવદયા પ્રવૃત્તિઓની સમજ આપી હતી. પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીવદયા કાર્યને સત્કાર્ય ગણાવ્યું હતું. નાગેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી ગૌરીગિરીજીએ સંસ્થાનાં કાર્યને બિરદાવ્યું હતું. દશનામ ગોસ્વામી મહિલા મંડળ માધાપર દ્વારા પાંચ હજારનું અનુદાન અપાયું હતું.
ઉપસ્થિત સર્વે મહિલાઓને કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇ જાષીએ જયારે આભાર દર્શન મુળજીભાઇ ઠક્કરે કરેલ. વ્યવસ્થામાં જેરામ સુતાર, આનંદ રાયસોની, રાજુ જાગી, બાબુલાલ જેપાલ, વિકાસ મેર તથા મંડળનાં દરેક બહેનોએ સહકાર આપ્યો હતો.