માધાપરનાં પાટ હનુમાન મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા- ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન લાયન્સ કલબ માધાપરનાં પ્રમુખ અને પાટ હનુમાન મંદિરનાં ચેરમેન શ્રી પ્રવિણભાઇ ખોખાણીએ જયારે અતિથિવિશેષપદ ટ્રસ્ટી શ્રી વીરજીભાઇ પિંડોરીયા, લાલજીભાઇ ગોરસીયા યુ.કે., મોરલીભાઇએ શોભાવ્યું હતું.
માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે તેમજ ચકલીઓને રહેવા ઘર મળે એવા ઉદેશ સાથે સંસ્થા દ્વારા ચકલીઘર-કુંડા ઠેર-ઠેર લટકાવાયા છે. તેવું જણાવ્યું હતું.
શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જીવદયાનાં આ કાર્યમાં જોડાવવા સૌને અપીલ કરી હતી.
શ્રી પ્રવિણભાઇ ખોખાણીએ માનવજ્યોતની દરેક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ઉપસ્થિત સર્વેને કુંડા-ચકલીઘરો તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન શ્રી શીવજીભાઇ મોઢે કર્યું હતું. વ્યવસ્થામાં નીતીન ઠક્કર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, માધાપર સ્પોર્ટસ કલબ, પાટ હનુમાન મંદિર તથા માધાપર મહિલા મંડળે સહકાર આપ્યો હતો.