રાપર તાલુકાનાં સુવઇ મધ્યે આવેલ પંચાયતી પ્રાથમિક કન્યાશાળા મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ગામનાં સરપંચ શ્રી હરિલાલભાઇ એચ. રાઠોડે જયારે અતિથિવિશેષ પદ વાડીલાલભાઇ રતનશીં સાવલાએ શોભાવ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન ભાટ્ટીએ સૌ મહેમાનોને આવકાર્યા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની સમગ્ર કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપતાં કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
વ્યવસ્થા નિવૃત્ત પી.એસ.આઇ. શ્રી રાણાભાઇ પાંચાભાઇ ધેયડા, આનંદ રાયસોની, રાજુ જોગી તથા શાળા સ્ટાફ પરિવારે સંભાળી હતી.