માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં ભાનુશાલીનગર, સરકારી વસાહત મધ્યે આવેલ. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિવિશેષપદ કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રાધિકા મહિલા મંડળનાં પ્રમુખ પૂનમબા એચ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,હરેશભાઇ દવે, એ શોભાવ્યું હતું.
પ્રારંભે શિવશંકર નાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની માનવસેવા અને જીવદયાની ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને મનોરોગીઓની થઇ રહેલી સેવાની માહિતી આપી હતી. ઉપÂસ્થત આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ઉપÂસ્થત સર્વે ભાવિકોને કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું વિતરણ આગેવાનોનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. વૃક્ષવાવો-વરસાદ લાવો, છોડમાં રણછોડ,નાં નારાઓ સાથે બિલેશ્વર મંદિરનાં પ્રાંગણમાં બિલીપત્ર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇ જાષીએ જયારે આભાર દર્શન હરેશભાઇ દવેએ કરેલ. વ્યવસ્થામાં શિવશંકર નાકર, હરેશભાઇ દવે, પ્રવિણ ભારથી, પૂનમબા જાડેજા, કેતન ગોર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વરલાલ ઠક્કર, દેવેન્દ્રભાઇ ગોર, ભવ્ય સોની, મદન ભટ્ટે સહકાર આપ્યો હતો.