વ્યાયામશાળા ભુજ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી શિવશક્તિ મહિલા મંડળનાં સહકારથી માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ.
પ્રારંભેદમયંતીબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, ભાનુબેન ભાનુશાલી, દક્ષાબેન શર્મા, દમયંતિબેન ગોહિલ, વસંતબા જાડેજા, રમાબેન ભાનુશાલી, ક્રિષ્નાબા જાડેજા તથા મંડળનાં સર્વે બહેનોએ ભજન-કિર્તન રજુ કરેલ.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ સંસ્થાની ચાલી રહેલ વિવિધ ૪૯ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. અને આ કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓ માટે દરેક ઘરે પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ચકલીઓને રહેવા માટે ચકલીઘરની વ્યવસ્થા કરવા સમજ પૂરી પાડી હતી.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જીવદયાપ્રેમીઓને માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘરો તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. વ્યવસ્થામાં આરતીબેન જોષી, જનકબા જાડેજા, રસીકબા જાડેજાએ સહકાર આપ્યો હતો.