શેઠ શ્રી ગોકુલદાસ તેજપાલ મેમોરિયલ હાઇસ્કુલ કોઠારા કચ્છ મધ્યે વર્ષ ૧૯૭૦ થી ૧૯૭૪ નાં બેચનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોનું એક સ્નેહ મિલન શેઠ શ્રી વલ્લભદાસ કરશનદાસ નાથા છાત્રાલય કોઠારા-કચ્છ મધ્યે યોજાયું હતું. જી.ટી. હાઇસ્કુલ કોઠારામાં અભ્યાસ કરી ગયેલ એ બેચનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇ-બહેનો દેશભરમાંથી પધાર્યા હતા.
ત્રિ દિવસીય કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રે કોઠારાનું ગૌરવ વધારનારા શ્રી પ્રભાતસિંહ જાડેજા-કોઠારા, દિનેશ એમ. શાહ-માંડવી, પ્રબોધ મુનવર – ભુજનું વિશિષ્ટ સન્માન કરી તેઓશ્રીની પ્રવૃત્તિઓ અને સેવાઓને બિરદાવવામાં આવેલ.
માનવસેવા, જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે કચ્છ અને ભુજમાં વિવિધ પ્રવૃત્તિઓની નોંધ લઇ આ પ્રસંગે શ્રી મનુવરનું વિશિષ્ટ સન્માન કરી કોઠારા ગામનું ગૌરવ વધારવા બદલ મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શ્રી પ્રભાતસિંહ જાડેજા, સોમચંદભાઇ લોડાયા, રવિશંકરભાઇ ગોર, કોઠારાના સરપંચ શ્રી હેમુભા ધલ, એસીબીનાં પી.આઇ. શ્રી પી.પી. પરગડુ, ચન્દ્રકાન્ત થોભણ, શિરિષ પલણ, સાવજસિંહ જાડેજા, ઇસ્માઇલભાઇ મંધરા, દીનેશ આર. શાહ, મણિલાલ આર. શાહ, દીનેશ અજાણી, રાયચંદ લોડાયા, અનીલ મોતા, કિર્તીભાઇ પલણ, છોટાલાલ રાઠોડ, રતિલાલ નાગડા, વલ્લભદાસ ઠક્કર, ઝવેરચંદ ખોના, અરવિંદ ગોર, લહેરચંદ લોડાયા, હરીશ મુનવર સહિતના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા.